ચાલો આજે કંઇક નવું જાણીએ
ગુજરાતમાં આવેલા વનો ને યાદ રાખવા માટેની રીત
Gujarat Government Exam Preparation Materials
1.માંગલ્યવન
– મા અંબાના દર્શનથી લોકો માંગલિક થાય છે આ વન અંબાજીમાં આવેલ છે.
2.પુનિતવન
– અક્ષરધામ મંદિરના દર્શન પુનિત સ્વરુપે થાય છે આ વન ગાંધીનગરમાં આવેલ છે
3.તીર્થંકર વન
– જૈન ધર્મના તીર્થંકર એવા નેમિનાથ નુ મંદિર તારંગા મા આવેલ હોવાથી આ વન પણ ત્યા આવેલ છે
4.હરિહરવન
– ભગવાન મહાદેવ અને સોમનાથ તેઓ હરિહર પણ કહેવાય છે તેથી આ વન સોમનાથમા આવેલ છે.
5. ભક્તિવન
– ગુજરાતના લોકો મા ચામુંડા ની ભક્તિપૂર્વક પ્રાર્થના કરે છે આ વન ચોટીલા મા આવેલ છે
6. શ્યામલવન
– ભગવાન શ્રીકૃષ્ણનુ મંદિર શામળાજી મા આવેલ હોવાથી આ વન પણ ત્યા આવેલ છે
7.પાલકવન
-જૈન ધર્મના ભક્તો અને અનુયાયીઓના મોટાભાગનો મંદિરો પાલિતાણામા આવેલા છે તેથી આ વન પણ ત્યા આવેલ છે.
8.વિરાસતવન
-ચાંપાનેરને વિશ્વ વિરાસત યાદીમા સમાવવામા આવેલ હોવાથી આ વન ને વિરાસતવન નામ આપેલ છે
9.ગોવિંદગુરુ સ્મૃતિ વન
– ગુરુ ગોવિંદને ગોધરા સાથે નાતો હોવાથી આ વન માનગઢ ખાતે આવેલ છે
10.નાગેશવન
-ભગવાન નાગેશ્વર નુ મંદિર આવેલ હોવાથી આ વન દ્ધારકા નજીક આવેલ છે
11.શક્તિવન
– મા ખોડલની આરાધના કરીને ભકતો તેમને શક્તિ આપે તેવી પ્રાર્થના કરે છે હાલ ખોડલધામ મંદિર ત્યા બની ચૂકયુ છે આ વન પણ ત્યા આવેલ છે
12.જાનકીવન
-ભગવાન રામ સીતાની શોધ માટે ગુજરાતના ડાંગ અને નવસારીના કેટલાક પ્રદેશોમા રોકાણ કર્યુ હતુ આ વન નવસારીમા આવેલ છે
13.શહિદવન
-ભૂચર મોરી યુદ્ધના લડતા લડતા ધ્રોલ નજીક શહિદ થયા હતા તેથી આ વન ધ્રોલ ખાતે આવેલ છે.